શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન માટે સુસજ્જ પ્રયોગશાળાઓ કાર્યરત છે જ્યાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ શીખવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ધોરણ-12 સુધીના વર્ગોમાં કમ્પ્યુટર શિક્ષણની સુવિધા માટે એક સુસજ્જ કમ્પ્યુટર લેબ પણ છે. ભારતીય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને સર્જનાત્મકતાનું વાતાવરણ બનાવવા માટે NITI AYOG હેઠળ કેન્દ્રસરકારના અભિગમ અંતર્ગત ATAL TINKERING LAB ની શૈક્ષિણક વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન માન્યતા પ્રાપ્ત થયેલ છે.